SSC ધોરણ-10ના ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્ર પરિરૂપ બાબત.

ઉપરોક્ત વિષય અન્વયે સંદર્ભ-(2) દર્શિત શિક્ષણ વિભાગના ઠરાવથી જણાવ્યા મુજબ શૈક્ષણિક વર્ષ-2021-22થી ધોરણ-10 ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રોના વિકલ્પ આપવા અંગે સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. ઉક્ત ઠરાવમાં જણાવ્યા મુજબ ધોરણ-10નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એક સરખું જ રહેશે, શાળા કક્ષાએ કે વર્ગખંડ કક્ષાએ આ અંગેની શૈક્ષણિક પદ્ધતિમાં કઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. ધોરણ-10ના ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્ર અલગ-અલગ રહેશે. બંને પ્રકારના પરિરૂપમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણભાર અલગ-અલગ રાખવાના રહેશે. ઉક્ત ઠરાવની નકલ અત્રેથી તા.14/07/2021ના રોજ આપને જાણ સારું તથા આપના તાબાની તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જરૂરી કાર્યવાહી કરવા સારું મોકલી આપવામાં આવેલ છે.

ડિજિટલ ચુકવણી: E-RUPI શું છે, જે ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વગર પૈસા ટ્રાન્સફર કરશે     

શૈક્ષણિક વર્ષ-2021-22થી SSC ધોરણ-10ની પરીક્ષા માટે ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ તરીકે ગણવાનું રહેશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ-2021-22થી ધોરણ-10ની પરીક્ષા માટે ગણિત વિષયમાં ગણિત બેઝિક માટે પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર તજજ્ઞો દ્વારા તૈયાર કરાવવામાં આવેલ છે. 


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!