ATMમાંથી 2500 નીકળશે, નોટ બદલવાની લિમિટ 4500 કરાઈ

ફાઈનાન્સ મંત્રાલયે આજે બેંક નોટની ઉપલબ્ધતા અને વિતરણની સ્થિતિનું રિવ્યૂ કર્યું હતું. જેમાં એક મોટી જાહેરાત કરાઈ છે. 500 અને 1000ની નોટોનું ચલણ પ્રચલનમાંથી કાઢી નાખ્યા બાદ આ મોટી જાહેરાત કરાઈ છે. દેશમાં રૂપિયા મેળવવા માટે મચેલી અફરાતફરીના માહોલને જોતા સરકારે એક મોટી રાહત આપી છે. જેમાં જાહેર કરાયુ છે કે, એટીએમમાંથી રૂપિયા કાઢવાની લિમિટ વધારી દેવાઈ છે. હવે એક દિવસમાં 2000ની જગ્યાએ 2500 રૂપિયા એટીએમમાંથી કાઢી શકાશે. જ્યારે કે, બેંકમાં 4000ને બદલે 4500 રૂપિયાની જૂની નોટો બદલી શકાશે.

આ ઉપરાંત અન્ય મોટી રાહત દિવ્યાંગો અને વૃદ્ધોને આપવામાં આવી છે. દિવ્યાંગો અને વૃદ્ધો માટે બેંકમાં અલગ લાઈન હશે.ગામડાઓમાં મોબાઈલ બેકિંગ વેન મોકલવામાં આવશે.પહેલા ત્રણ દિવસમાં અંદાજે 3 લાખ કરોડ રૂપિયા બેંકમાં જમાં થયા છે. જ્યારે કે, 50,000 કરોડ રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરાયા છે.ત્રણ દિવસમાં બેંકોમાં 21 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે. ત્રણ દિવસમાં 500-1000ની 3 લાખ કરોડની જૂની નોટો બેંકમાં ડિપોઝીટ કરાઈ છે.aબેંકમાં હવે સપ્તાહમાં 24,000 રૂપિયા કાઢી શકાશે. પહેલા માત્ર 20,000 રૂપિયા જ કાઢી શકાતા હતા.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!